નમો સરસ્વતી યોજના 2024 ઓનલાઇન અરજી કરો

Namo Saraswati Yojana 2024 Apply Online : આજનો સમય એટલે વિજ્ઞાન અને ટેકનોલોજી નો સમય છે. એટલા માટે ગુજરાત સરકારે બજેટમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ યોજના ની જાહેરાત કરેલી છે જેનું નામ નમો સરસ્વતી યોજના છે. આ યોજના અંતર્ગત વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કુલ 25000 રૂપિયાની સહાય રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે જેથી કરીને વિદ્યાર્થીઓને સાયન્સ ફિલ્ડ માં સ્ટડી કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડી શકે.

જો તમે અથવા તમારા બાળકો ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહ માં જઈ રહ્યા છે તો તમારા માટે Namo Sarasvati Scholarship Yojana 2024 ખૂબ મહત્વની સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ આ યોજના શું છે અને તેનો લાભ કેવી રીતે મળશે?

નમો સરસ્વતી યોજના શું છે ?

નમો સરસ્વતી યોજના શરૂ કરવાને ઘોષણા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સંસદમાં બજેટ લોન્ચ કરતી વખતે કરેલી છે. આ યોજના અંતર્ગત વિજ્ઞાન પ્રવાહ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ તરીકે આર્થિક સહાય આપવામાં આવશે. ધોરણ 11 માં વિજ્ઞાન પ્રવાહ સિલેક્ટ કરનારા વિદ્યાર્થીઓને 10000 રૂપિયા સુધીની આર્થિક સહાય મળશે જ્યારે ધોરણ 12 માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 15000 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે. આમ કુલ Namo Saraswati Yojana Gujarat 2024 અંતર્ગત સાયન્સમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને 25000 રૂપિયા મળવા પાત્ર થશે.

Key Highlights

યોજનાનું નામનમો સરસ્વતી યોજના
ઘોષણા કરવામાં આવીનાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા
ક્યારે શરૂ થઈ2 ફેબ્રુઆરી, 2024 ના દિવસે
રાજ્યગુજરાત
લાભાર્થીસાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
સ્કોલરશીપ રાશિકુલ 25,000 રૂપિયા
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન અથવા ઓફલાઈન
Official Websitedigitalgujarat.gov.in/

યોજનાનો ઉદ્દેશ્ય

કનુભાઈ દેસાઈએ બજેટ લોન્ચ કરતી વખતે જણાવ્યું કે વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે વધુ પ્રોત્સાહિત થાય તે હેતુને પૂરો પાડવા માટે નમો સરસ્વતી યોજના ની જાહેરાત કરવામાં આવેલી છે. આ યોજના અંતર્ગત આવતા વર્ષ એટલે કે વર્ષ 2024-25 અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા 400 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને વિદ્યાર્થીઓને આર્થિક સહાયતા પૂરી પાડવામાં આવશે.

નમો સરસ્વતી યોજના 2024 ના લાભો

ગુજરાત સરકારનું એવું અનુમાન છે કે આ યોજના ના માધ્યમથી અત્યારે વિજ્ઞાન પ્રવાહમાં દર વર્ષે બે લાખ વિદ્યાર્થીઓનો પ્રવેશ કરવામાં આવે છે પરંતુ આ યોજના ના કારણે આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ લાખ થવાની સંભાવના છે. આ યોજના અંતર્ગત મળતા લાભ નું વિવરણ નીચે આપેલા ટેબલમાં આપવામાં આવેલું છે.

ધોરણસ્કોલરશીપ રાશિ
ધોરણ 11 (Science)Rs. 10,000
ધોરણ 12 (Science)Rs. 15,000
કુલ રાશિRs. 25,000

યોગ્યતાના માપદંડ

  • આ યોજનાનો લાભ માત્ર ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીઓ જ મેળવી શકશે.
  • એમાં પણ જે વિદ્યાર્થી ધોરણ 11 અને 12 માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓ જ અરજી કરવા માટે પાત્ર થશે.
  • સરકાર દ્વારા આ યોજનાનો લાભ બંને સરકારી અને બિનસરકારી શાળાના વિદ્યાર્થીઓને મળવા પાત્ર થશે.
  • જે વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ નબળી છે અથવા તો મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ છે તેવા વિદ્યાર્થીઓ જ આ યોજનાનો લાભ મેળવી શકશે.

જરૂરી દસ્તાવેજો

  • Aadhaar Card
  • School Id
  • School Fee Certificate
  • Annual Income Certificate
  • Mobile Number
  • Bank Account Details
  • Colorful Passport size Photo

નમો સરસ્વતી યોજના ઓનલાઈન 2024 અરજી કરો

મિત્રો જો તમે પણ નમો સરસ્વતી યોજના માટેનું એપ્લિકેશન ફોર્મ મેળવવા માંગો છો તો અમે તમને જણાવી દઈએ કે ગુજરાત સરકાર તરફથી Application Form PDF સ્વરૂપમાં જાહેર કરવામાં આવેલું નથી. પરંતુ જો તમે આ યોજના નો લાભ લેવા માંગો છો તો તમારે ઉપર બતાવવામાં આવેલા બધા ડોક્યુમેંટ્સ લઈને તમારા વર્ગ શિક્ષક પાસે જવાનું રહેશે. જેથી તે તમારી ઓનલાઇન અરજી કરી દેશે. હાલમાં આવેલા અપડેટ અનુસાર, 27 મે, 2024 થી Saraswati Yojana અંતર્ગત અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી છે.

Official Website : Click Here